સમસ્ત કાસુન્દ્રા પરિવાર
સહર્ષ જણાવવાનું કે કાસુન્દ્રા પરિવાર ના સુરાપુરા દાદા ખારવા ના સાનિધ્યમાં તા. ૧૬-૪-૨૦૨૩, રવીવાર ના રોજ વિષ્ણુયાગ મહાયજ્ઞ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
તા. ૧૫-૪-૨૦૨૩ ના રાત્રે ૮:૩૦ કલાકે માંડવા ગામનું પ્રખ્યાત મુરલીધર કાન ગોપી મંડળ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ છે તો આ ધાર્મિક પ્રસંગનો લાભ લેવા પરિવાર જનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
નિમંત્રક
પ્રાણજીવન નાગજીભાઈ કાસુન્દ્રા
પ્રમુખશ્રી કાસુન્દ્રા પરિવાર - ખારવા
કાસુન્દ્રા પરિવાર - ડાયમંડનગર
તેજસ્વી તારલા સન્માન - ૨૦૨૩
સહર્ષ જણાવવાનું કે તેજસ્વી તારલા સન્માન - ૨૦૨૩ અંતર્ગત ૨૦૨૩ માં છેલ્લી પરીક્ષા પૂર્ણ કરી હોય અથવા ડિગ્રી પૂર્ણ કરી હોય અને એજન્ડા પ્રમાણે સમાવેશ થતો હોય તેને જ તારીખ ૩૦-સપ્ટેમ્બર-૨૦૨૩ પહેલાં અરજી કરવી.
નિયમો :
- ધોરણ ૧૦ અને ૧૨ માં ૮૦ ટકાથી વધુ હોય તેને જ અરજી કરવી - પી. આર. ગણવામાં આવશે નહિ.
- ગ્રેજ્યુએટ - કોઈ પણ ફેકલ્ટીમાં ગ્રેજ્યુએટ ૭૦ ટકાથી વધુ હોય તેને જ અરજી કરવી, ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ્.
- ડોક્ટરેટ ડિગ્રી , એન્જિનિયરિંગ ડિગ્રી , પી.એચ.ડી , એમ.ફિલ , એલ. એલ. બી, સી.એ. અને તેને સમકક્ષ અન્ય ડિગ્રી મેળવેલ હોય તેને જ અરજી કરવી, તેમાં ગુણ કે ટકાવારી ગણવામાં આવતી નથી.
- વિશિષ્ટ લાયકાત જેવી કે સ્પર્ધાત્મક પરીક્ષામાં રાજ્ય કક્ષાએરમત ગમત, સ્પર્ધાત્મક પરીક્ષા મા પુરસ્કાર મળેલ હોય તેવાઓ અને સમાજ લેવલે પુરસ્કાર મળેલ હોય તેવા સમાજ સેવી ની અરજી આવકાર્ય રહેશે.
- ધોરણ ૧ થી ૯ અને ૧૧ વાળાએ, ડિપ્લોમા, આઈ. ટી. આઈ , પી.ટી.સી , બી. એડ વગેરે તાલીમ વર્ગ વાળાએ અરજી કરવી નહિ.
- નિયત નમુનામાં અરજી ફોર્મ, માર્કશીટ ની ઝેરોક્ષ ૧, પાસપોર્ટ સાઈઝનો ફોટો ૧, માર્કેસીટ અને ફોટા પાછળ ઉમેદવાર નું સરનામું અને મોબાઈલ નંબર ખાસ લખવા.
- આખરી નિર્ણય મેનેજમેન્ટ નો રહેશે.
આ ફોર્મ પ્રીન્ટ કાઢી ને ભરવું અને નીચેના સરનામે મોકલવું
કાસુન્દ્રા પરિવાર
બહુચરાજી માતાજી મંદિર, ડાયમંડ નગર, આમરણ ,
તાલુકો: મોરબી, જિલ્લો: મોરબી
અરજી મોકલ્યા પછી ફોનથી અરજી મળી છે કે નહિ તે ચેક કરી લેવું.
યા દેવી સર્વભુતેસુ શક્તિ રૂપેણ સંસ્થિતામ ।
નમ: તસ્યે નમ:તસ્યે નમ:તસ્યે નમો નમ: ॥
આપણી પરિવાર પ્રત્યેની લાગણી, ભાવના, સંગઠન અને ઉન્નતિના સંસ્કાર સિંચન કરેલ છે.
પરિવારને સાચો રાહ ચીંઘી આપે જે કેડી કંડારેલ છે. તે ખરેખર અમારી સાચી મૂડી છે.
સ્વાભિમાન, નિડરતા, દયાભાવ, ઉદારદિલ, નિખાલસતા, ધર્મનિષ્ઠા, રાજનીતીની જ્યોત
આપણી પુણ્ય સ્મરણ થકી આજે પ્રજવલીત છે.
જે પરિવાર માટે સદાય અજવાળા પાથરશે.
ૐ શાંતિ શાંતિ શાંતિ...
સંપર્ક:
કાસુન્દ્રા પરિવાર, આમરણ - ୦૨૮૯૩ ૨૮૭૩૮૬
હરિભાઈ કાસુન્દ્રા, આમરણ - ૯૫੧૦૦ ੧૦૦૪૬
જમનભાઈ કાસુન્દ્રા, કેશોદ - ૯૪૨૭૫ ૬૯૩૫૦